સ્વ. મૂકેશને કંઠે ગવાયેલ કેટલાક યાદગાર ગીતોમાંનું આ ગીત સાચે જ અર્થસભર છે. માનવ જન્મે ત્યારથી ચાલ્યા જ કરે છે. એને ખબર નથી હોતી કે એની મંઝિલ શું છે, એણે આ જન્મ પામીને શું મેળવવાનું છે, ક્યાં પહોંચવાનું છે. મારા ઘરમાં જ મુજને ક્યાં જવું એ ખબર નથી … મુંઝવણને સુંદર વાચા આપે છે. વળી જેણે બનાવ્યો એને બનાવ્યા કરું છું …પણ કેટલું ચોટદાર છે.
*
સ્વર – મુકેશ
*
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું … ચાલ્યા જ કરું છું
સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યાં કરું છું … ચાલ્યા જ કરું છું
હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું … ચાલ્યા જ કરું છું
નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું … ચાલ્યા જ કરું છું
(આ ગીતની ફરમાઈશ કરનાર મિત્ર – નવનીત પરમાર)
8 Comments