Archive for September, 2008

સૂના સરવરીયાને કાંઠડે

Tuesday, September 30th, 2008

આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મા આદ્યશક્તિ જગદંબાના મહિમાને ઉજાગર કરતું આ પર્વ શક્તિનો મહિમા દર્શાવી તેની પૂજા કરવાનો સંદેશ આપે છે. બંગાળમાં દુર્ગાપૂજા પણ આજથી શરૂ થશે. ગુજરાતનું ભાતીગળ ગણાતો ગરબો એના શિખર પર ચઢી આજે શેરીએ શેરીએ અને મહોલ્લે મહોલ્લે ગાજશે. વડોદરા તો ગરબાની રાજધાની ગણાય. જમણી બાજુના મીડિયા પ્લેયરમાં તમે વડોદરાના [...]

હું તને કયાંથી મળું ?

Monday, September 29th, 2008

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં [...]

તો લાગી આવે

Sunday, September 28th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ રજુ કરું છું. સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળને જ ગ્રહણ કરનાર ચાતક તરસનો માર્યો પ્રાણ છોડી દે અને એ કોઈ પાણી ભરેલ ખાબોચિયા કે તળાવમાં જઈ પડે, તો એને જોનારને એમ જ લાગે કે આ પાણીમાં ડૂબીને મરી ગયો હશે. જોનારને ક્યાંથી ખ્યાલ આવે કે એણે તો પોતાની જીવનભરની ટેકને જાળવી [...]

છેતરી જાશે

Saturday, September 27th, 2008

કૈલાશ પંડિતની અતિ લોકપ્રિય રચના. સાંભળો મનહર ઉધાસના મખમલી કંઠે.
[Audio clip: view full post to listen]
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી [...]

તમે વાતો કરો તો

Friday, September 26th, 2008

મૌનની અગત્યતા વિશે ઘણું ઘણું લખાયું છે. એમ પણ કહેવાયું છે કે ગુરૂનું મૌન શિષ્યને માટે વ્યાખ્યાનની ગરજ સારે છે.  હા, જીવનમાં ક્યારેક એવી પળો આવે જ્યારે મૌન ઈલાજ બને, ઉત્તર બને (કે ઉપેક્ષા બને) અને ધાર્યું કામ આપે. ઈશ્વરે આપેલી વાણીની બક્ષિસને ઉચિત રીતે વાપરીએ એમાં વૈખરીનો વૈભવ છે પણ મૌન જ્યારે પ્રિયતમના હોઠ પર જઈને જડાઈ જાય તો પ્રેમીનું હૃદય એક વણકથ્યા [...]