Archive for June, 2008

એક દી સર્જકને

Friday, June 20th, 2008

દીલ તમોને આપતાં આપી દીધું પામતા પાછું અમે માપી લીધું માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચોતરફથી કેટલું કાપી લીધું ! * એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક મેરુએ આપી અડગતા, ધરતીએ [...]

કોણ માનશે

Thursday, June 19th, 2008

નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા હતા કે ધીરજના ફળ મીઠા. કપરા સંજોગોમાં ઢાલ જેવું આ વાક્ય કંઈક અનોખી રીતે આ ગઝલમાં વ્યક્ત થયું છે. શૂન્યની કલમે થયેલ અમોલા સર્જનોમાંનું આ એક છે. ગઝલની છેલ્લી બે પંક્તિઓ ઈશ્વર વિશે, એની સર્વવ્યાપકતા વિશે અને અહમ્ ના વિસર્જન વિશે ઘણુંબધું કહી જાય છે. દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ [...]

આંખડી છેડે સરગમ

Wednesday, June 18th, 2008

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ; દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ. દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ; દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ. ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી; બુલબુલોએ રચી [...]

પરિચય છે મંદિરમાં

Tuesday, June 17th, 2008

શૂન્ય મારા સૌથી પ્રિય ગઝલકાર છે. એમની ગઝલોમાં તત્વજ્ઞાનનું ઉંડાણ ભરેલું છે. પ્રસ્તુત ગઝલ એ મારી મનગમતી ગઝલોમાંની એક છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણે આત્મ સ્વરૂપ છે અને આપણે પરમાત્માના અંશરૂપ છીએ. જો પરમાત્મ તત્વ બધે વિલસી રહ્યું હોય તો પછી આપણું પણ બધે જ અસ્તિત્વ છે, બધા જ આપણને પહેચાને. જે વાત [...]

માને તો મનાવી લેજો રે

Monday, June 16th, 2008

ગોપીઓ અને ગોપબાળોને ગોકુળમાં મુકીને કૃષ્ણ કર્તવ્યની રાહે મથુરા ગયા ત્યારે કૃષ્ણના વિરહમાં પીડાતી ગોપીની મનોભાવનાને  આ ગીત વ્યક્ત કરે છે. મથુરાથી ઉદ્ધવજી ગોકુળ આવે છે ત્યારે ગોપીઓને જ્ઞાનનો સંદેશ આપી સાંત્વના ધરવા પ્રયાસ કરે છે પણ અવ્યક્ત કરતાં વ્યક્તને માનનાર ગોપીઓને એ ગળે ઉતરતું નથી. તેઓ ઉદ્ધવજી મારફત કૃષ્ણને સંદેશ મોકલે છે. ગીતના અંતભાગમાં .. કુબ્જાને પટરાણી [...]