Press "Enter" to skip to content

હૃદયમાં ઘૂંટવાનું હોય છે

કાચની કિસ્મત મહીં તો તૂટવાનું હોય છે,
કેમ નારીના નસીબે કૂટવાનું હોય છે ?

બાગમાં ખીલી જવાથી ભાગ્ય પલટાતું નથી,
ક્યાંક ફુલોના નસીબે ચૂંટવાનું હોય છે.

શ્વાસની હર વારતાનો સાર કેવળ એટલો,
જિંદગી પ્રત્યેક ક્ષણ બસ ખૂટવાનું હોય છે.

મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.

ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.

આ ગઝલ તો વ્યક્ત થાવાનું ફકત બ્હાનું હશે,
આમ તો સંવેદનાને ફૂટવાનું હોય છે.

જેમણે ત્યાગી દીધું સર્વસ્વ એની ચાહમાં,
એમને ‘ચાતક’ હવે શું લૂંટવાનું હોય છે ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

  1. Pragnaju
    Pragnaju March 20, 2011

    સુંદર રચનાના આ શેર વધુ ગમ્યા..
    મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
    શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.

    ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
    દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.

  2. Pancham Shukla
    Pancham Shukla March 21, 2011

    સરસ ગઝલ.

    ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
    દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.

    આ ગઝલ તો વ્યક્ત થાવાનું ફકત બ્હાનું હશે,
    આમ તો સંવેદનાને ફૂટવાનું હોય છે.

  3. P Shah
    P Shah March 21, 2011

    વાહ ! ખૂબ જ સરસ ગઝલ થઈ છે.
    આ શેર તો ખરેખર કાબિલેદાદ થયો છે.

    આ ગઝલ તો વ્યક્ત થાવાનું ફકત બ્હાનું હશે,
    આમ તો સંવેદનાને ફૂટવાનું હોય છે…

    અભિનંદન !

  4. Sapana
    Sapana March 21, 2011

    સરસ ગઝલ !! બધાં શેર ગમ્યા !..
    સપના

  5. Manhar Mody
    Manhar Mody March 21, 2011

    ખૂબ જ અર્થસભર ગઝલ. દરેક શેર એક સચોટ વાત લઈને આવે છે. બધા જ શેર મનને ઢંઢોળી નાંખે છે. એમાં ય આ બે શેર તો ..! વલ્લાહ ક્યા બાત હૈ …!!!

    મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
    શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.

    ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
    દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.

    મારી હમણાં જ લખાયેલી હઝલ નો મત્લા પણ આવી જ કંઇક વાત કહે છે ઃ

    કરમ કથની કહીને કોઈને શું કાઢશો કાંદા ?
    હસી કાઢી તમોને લોક પણ ગણશે જરા ગાંડા.

  6. Himanshu Patel
    Himanshu Patel March 22, 2011

    અંતરના ઘુંટનને વ્યકત કરતી આ ભાષા દિલોદિમાગને અડકી ગઈઃ આ વધારે ગમ્યા
    ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
    દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.

    આ ગઝલ તો વ્યક્ત થાવાનું ફકત બ્હાનું હશે,
    આમ તો સંવેદનાને ફૂટવાનું હોય છે.

  7. Dinkar Bhatt
    Dinkar Bhatt March 22, 2011

    મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
    શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.

    આ બે પંક્તીઓ ઘણું બધું કહી જાય છે, સુંદર દક્ષેશ ભાઇ ખૂબ જ સુંદર.

  8. Narendra Jagtap
    Narendra Jagtap March 22, 2011

    દક્ષેશભાઇ નમસ્કાર…. મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
    શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.
    ……આ શેર અને છેલ્લા બે શેર…વાહ વાહ ભાયા મજો આવી ગયો

  9. Kanchankumari P Parmar
    Kanchankumari P Parmar April 7, 2011

    ગઝલના નામે ભલે મેં નકલ કરી; મારે તો બસ તારા હૈયે પહોંચવાનું હોય છે ……

  10. Ami
    Ami August 2, 2011

    જેમણે ત્યાગી દીધું સર્વસ્વ એની ચાહમાં,
    એમને ‘ચાતક’ હવે શું લૂંટવાનું હોય છે ?

  11. Ami Trivedi
    Ami Trivedi June 27, 2018

    EXCELLENT!!!

Leave a Reply to Pancham Shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.