એક-બે ઈચ્છા અધૂરી બાળવાનું હોય છે,
જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે.
દોસ્ત, આંખો હોય કે ના હોય, એથી શું થયું?
સ્વપ્ન મનની આંખથી નિહાળવાનું હોય છે.
બાળપણનું વ્હાલ, ચૂમીઓ બધી યૌવનતણી,
કેટલું દેવું અહીં ઊતારવાનું હોય છે !
સ્મિત ચ્હેરા પર ટકાવી રાખવું મુશ્કેલ છે,
બોલકી સંવેદનાને ખાળવાનું હોય છે.
ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે.
પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ જ સુંદર…
ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે
વાહ…
ખુબ સરસ !!! રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે !!!
સ્મિત ચ્હેરા પર ટકાવી રાખવું મુશ્કેલ છે,
બોલકી સંવેદનાને ખાળવાનું હોય છે.
ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે.
ખૂબ સરસ!
જીવનની ગોપિત સંવેદનાનો પૉઝીટીવ વિસ્તાર અને સરળ નિરાકરણ સહજ્પણે વ્યક્ત થાય છે . આ વધારે ગમ્યુ–
સ્મિત ચ્હેરા પર ટકાવી રાખવું મુશ્કેલ છે,
બોલકી સંવેદનાને ખાળવાનું હોય છે.
અને આ–
પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે.
સરસ ગઝલ.
સરસ ગઝલ.
ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે.
પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે.
યાદ
લાખ પ્રયત્નો કરું આ કવિતાને પૂર્ણ કરવાના,
છતાં પણ એ હંમેશ અધુરી રહે,તો વાંક કોનો?
લખી નાખું આ એક જ કવિતાના પુસ્તકો અનેક,
પણ છેલ્લે કોઇ કલમ જ મને ના મળે,તો વાંક કોનો?
સરસ!
સુંદર …
લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે. પરંતુ એ જ કાઢી શકાતું નથી …:)
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે.
જિંદગીના અંત સુધી ચાલવાનું હોય છે.તેવું ના જોઈએ ?
આ સરસ રહ્યું .
પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે.
ખુબ જ મઝા આવી દક્ષેશભાઈ આપની આ ગઝલ વાંચીને. ઊંડાણ સાથે લયનો મધુરો મેળાપ. બહોત ખૂબ.
દોસ્ત, આંખો હોય કે ના હોય, એથી શું થયું?
સ્વપ્ન મનની આંખથી નિહાળવાનું હોય છે.
ક્યા બાત હૈ !!!
કીર્તિકાન્તભાઈ,
સૌપ્રથમ લખાયું ત્યારે તમે કરેલા સૂચન મુજબ જ લખેલું. પઠન કરતા એ યોગ્ય પણ લાગેલું. પરંતુ ભાવની રીતે વિચારતાં બંનેમાં ભેદ લાગ્યો અને પછી અત્યારે છે એ રાખ્યું. મારી વિચારધારા પ્રમાણે – જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે – એ રીતે લખવામાં – જિંદગી શું છે – પ્રશ્ન ઉઠે તેનો જવાબ મળે છે. જ્યારે જિંદગીના અંત સુધી ચાલવાનું હોય છે – એ એક હકીકતનું બયાન લાગ્યું – a statement.
ગઝલના બંધારણ અને શેરના ભાવ પ્રમાણે બંને ચાલે … મેં મારી સર્જન વખતની ભાવસૃષ્ટિનો અંદાજ આપ્યો. આશા છે આ સ્પષ્ટતા પછી આપને એ પસંદ આવે. સૂચન બદલ આભાર.
દક્ષેશભાઈ,
ગઝલ સરસરીતે અભિવ્યક્ત થઈ છે – અભિનંદન.
શ્રી કીર્તિકાન્તજીનું સૂચન અને તમારા પ્રતિભાવના કેન્દ્રમાં તો જિંદગી જ છે,વાત બન્ને સાચી છે,અહીં મારૂં અંગતરીતે એવું માનવું છે કે,
જિંદગી તો…..
અને
જિંદગીના….
એ બન્ને કરતા,જિંદગીભર અંત સુધી ચાલવાનું હોય છે – કેમ રહેશે?-વિચારી જોવા જેવું ખરૂં !
સરસ ગઝલ..
બાળપણનું વ્હાલ, ચૂમીઓ બધી યૌવનતણી,
કેટલું દેવું અહીં ઊતારવાનું હોય છે !
સુંદર શેર..
“ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે. ”
તમારી ઝિંદાદિલી ગમી ગઈ.
દક્ષેશભાઇ…..કોઇ પણ ગઝલ પર્ થોડી ચર્ચા થાય તે સ્વાભાવિક ગમે…મારી દ્રષ્ટીએ તો મહેશભાઇ અને કીર્તીકાંતભાઇ બંન્ને ના સુચન આવકાર્ય છે…છતા કવિશ્રીનો પોતાનો મત તો આખરી જ હોય…પરંતુ જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે. એના કરતા જિંદગીમા……..અંત સુધી ચાલવાનું હોય છે આ કેવુ રહે ? અંતે પસંદ આપની