એ યાદ આવે છે

yogeshwarji
(તસવીર સૌજન્ય – સ્વર્ગારોહણ)
સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર શ્રી યોગેશ્વરજી (૧૫ ઓગષ્ટ, ૧૯૨૧ – ૧૮ માર્ચ, ૧૯૮૪)ને એમના જન્મદિને અર્પણ ….

હતા કેવા પરમ યોગી તમે, એ યાદ આવે છે,
કરી અંધારમાં જ્યોતિ તમે, એ યાદ આવે છે.

જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન,
ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે.

સકળ વિઘ્નો વટાવીને થયાં સંસિદ્ધિથી ભૂષિત,
બતાવી ધ્યેય પર પ્રીતિ તમે, એ યાદ આવે છે.

મૂકી તવ હાથ અમ શિર પર અભયનાં દાન જે દીધાં,
હરી લીધી સકળ ભીતિ તમે, એ યાદ આવે છે.

નયન ‘ચાતક’ બની ઝંખી રહ્યા છે આપનાં દર્શન,
લૂછો છો આંખ સહુ રોતી તમે, એ યાદ આવે છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Responses to “એ યાદ આવે છે”

  1. Yatri Says:

    પરમ ગુરુના પરમ શિષ્યની ભાવાંજલીમાં ભીંજાવવાનો અનેરો આનંદ આવ્યો. પ્રભુ આપને અધ્યાત્મની અને સાહિત્યની સેવા માટે ભાવ અને શક્તિ પ્રદાન કરે એજ અભ્યર્થના.

  2. Manvant Patel Says:

    મારા અનેકાનેક પ્રણામ !

  3. "માનવ" Says:

    દક્ષેશ ભાઈ

    ખરેખર સરસ લખ્યુ છે.

  4. Chirag Says:

    પ્રણામ.

    એક અવલોકનઃ અવતારી પુરુષોના જન્મ-મૃત્યુ જુલાઈ-ઓગસ્ટ અને ફેબ્રુઆરી-માર્ચ હોય છે.

  5. Atul Says:

    મૂકી તવ હાથ અમ શિર પર અભયનાં દાન જે દીધાં,
    હરી લીધી સકળ ભીતિ તમે, એ યાદ આવે છે.

    સાચા સન્તોના વરદ હસ્ત અને વચનાશિષ મેળવીને સૌ ધન્ય થઈ ગયા!!

  6. Dilip Says:

    ખુબ ભાગ્ય પછી માનવજીવનમાં મહાપુરુષનું સાંનિધ્ય મળતું હોય છે. અને જેમને મળ્યા તેમનું જીવન હંમેશ બદલતુ હોય છે ઉન્નત થતુ હોય છે જુદુ જ હોય છે. યોગેશ્વરજી જેવા કદી હતા ન થઈ શકે, જ્યોતિ બની ઝળહળતાં જ રહે છે, પ્રેરણા દેતા જ રહે છે શાશ્વત. મહાપુરુષ તે ચરણારવિન્દ.

    જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન,
    ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે.

  7. Ajay & Neha Contractor Says:

    એ યાદ આવે છે – પ્રભુ માટે કવિતા લખી છે તે ખુબ સરસ લાગી. હવે જ્યારે નવી કવિતા લખો ત્યારે જરૂરથી જણાવજો. તમારી રચેલ આ વેબસાઈટ હવે નિયમિત જોઈશું.
    - અજય, નેહા અને મિહિર

Leave a Reply