મીરાં તમે પાછા ઘેર આવો

mirabai
“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ” નું રાતદિવસ રટણ કરનાર મીરાંબાઈ વિરોધોના મહાસાગરને પાર કરીને, રાજમહેલ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ કરીને પ્રભુપંથે નીકળી પડ્યાં. મીરાંબાઈએ સંત રોહિદાસ (સંત રૈદાસ)ને પોતાના ગુરુ માન્યા હતા. સંત રૈદાસ જાતિના ચમાર હતા અને મીરાંબાઈ રાજકુંવરી. પણ એ ભેદ તો ભૌતિક જગતના, આધ્યાત્મિક જગતમાં તો બધાં સરખાં. સંત રોહિદાસ ઈશ્વરપરાયણ સંતપુરુષ હતા એથી એમને એવો વિચાર નહોતો સતાવતો પરંતુ મીરાંને એનું પરિણામ ભોગવવું ન પડે તે માટે તેમણે મીરાંને પાછા જવાની વિનતી કરી. એ ભાવોને અભિવ્યક્ત કરતું આ ખુબ સુંદર અને વારંવાર સાંભળવું ગમે તેવું ભજન આજે સાંભળીએ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે મારાં મનનાં માનેલા શાલિગ્રામ,
મીરાં તમે પાછા ઘેર આવો.

હે મીરાંબાઈ તમે રાજાની છો કુંવરી,
અને રોહિદાસ જાતિનો છે ચમાર …. મીરાં તમે પાછા

મીરાંબાઈ, નગરનાં લોક તમારી નિંદા કરે,
રાણોજી દેશે અમને આળ … મીરાં તમે પાછાં

મીરાંબાઈ, મેવાડનાં લોકો તમારી નિંદા કરશે
એ પાપીને પૂજશે માની ભગવાન .. મીરાં તમે પાછાં

રામાનંદ ચરણે રોહિદાસ બોલિયાં,
મીરાં તમે હેતે ભજો ભગવાન … મીરાં તમે પાછાં

- સંત રોહિદાસ (સંત રૈદાસ)

4 Responses to “મીરાં તમે પાછા ઘેર આવો”

  1. દિનકર ભટ્ટ Says:

    આ ભજન મને ઘણા વર્ષોથી ગમે છે.
    ગુલઝારે મીરાં પિક્ચર બનાવ્યું હતું, તેમાં મીરાં ,રૈદાસને મળે છે તે પ્રસંગ અદભુત રીતે રજુ કરેલ છે.

  2. darshan Says:

    ખુબ સુન્દર પ્રસ્તુતિ…
    સંત રોહિદાસની વધુ સુન્દર કાવ્યરચના પ્રસ્તુત કરવા વિનંતી…

  3. રેખા સિંધલ Says:

    માણવાની મજા આવી. આભાર !

  4. Daulatsinh Gadhvi Says:

    મને આ ભજન ખુબ ગમ્યું. બીજા આવા ભજનની અપેક્ષા.

Leave a Reply