નંદલાલાને માતા જશોદાજી સાંભરે
ગોકુળ છોડી મથુરા ગયા પછી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કદી પાછા ગોકુળમાં નહોતા પધાર્યા. જ્યાં પોતાનું બાળપણ વીતેલું, જ્યાં ગોપબાળો સાથે કેટલીય રમતો રમેલી, કેટલાય માખણના શીકા તોડી ગોરસ ખાધેલા, કેટલીય ગોપીઓ સાથે રાસલીલા કરેલી, ગાયોને ચારવા વનમાં જતા ને ધૂળે ભરાઈને સાંજે પાછા ફરતાં, માતા યશોદા અને નંદબાબા સાથે વીતાવેલાં વરસો અને એની પળેપળ ભગવાન શ્રીકૃષ્ણને મહેલમાં બેચેન કરતી. પરંતુ ધર્મસંસ્થાપનાનું યુગકર્મ કરવા પ્રકટ થયેલ ભગવાન એ સ્મૃતિઓથી ચળી જાત તો જગદગુરુ થોડા કહેવાત. મથુરાના રાજભવનમાં ભગવાન શ્રીકૃષ્ણની મનોદશાનું સુંદર ચિત્રણ સાંભળો આ મધુરા પદમાં.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
નંદલાલાને માતા યશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં…નંદલાલાને
હીરા માણેકના મુગુટ ધરાય છે,
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં…….નંદલાલાને
તબલા સારંગીના સૂર સંભળાય છે,
નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને
છપ્પન ભોગના થાળ ધરાય છે,
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને
રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે,
ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને
રાધાજીને એટલું કહેજો ઓધવજી
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને
[ફરમાઈશ કરનાર - જયશ્રીબેન જોશી]

April 2nd, 2009 at 7:37 pm
“આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને….”
દિલિપ રાવળ લિખિત રૂપકુમાર રાઠોડના સ્વરમાં ગવાયેલું આ ગીત પણ આવો જ ભાવ વ્યક્ત કરે છે.
http://preetnageet.blogspot.com/2009/01/blog-post_8767.html
April 6th, 2009 at 1:30 pm
Thanks for this song નંદલાલાને માતા યશોદાજી સાંભરે.
Thankful to your good site for giving me a good response and provide such good songs of sri krishna.
Thanks,
Jayshri
April 15th, 2009 at 7:33 am
આ ગીત ગાતી-વગાડતી વખતે મારી આંખો ભીની થાય છે !
June 2nd, 2009 at 11:33 pm
Thanks for giving us great bhajans n may god bless u all.