Press "Enter" to skip to content

એકબીજાના હતા


પ્રણયના મધુરા દિવસોની સ્મૃતિ કરાવતી અદી મિર્ઝાની રચના.
*
સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવાઝ

*
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવનમાં એકબીજાના હતા.

મંદીરો ને મસ્જીદોમાં જીવ ક્યાંથી લાગતે,
રસ્તે રસ્તે જ્યાં સફરમાં એના મયખાના હતા.

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.

કેટલું સમજાવશે એ લોકને તું પણ “અદી”
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા.

– અદી મિર્ઝા

3 Comments

  1. Shriya
    Shriya January 20, 2009

    કેટલું સમજાવશે એ લોકને તું પણ “અદી”
    તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા….

    સરસ વાત કરી છે!

  2. pragnaju
    pragnaju January 20, 2009

    આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
    મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.
    વાહ્

  3. jayesh dave
    jayesh dave January 21, 2009

    ખુબ જ સુન્દર લખ્યુ……….આલાપ પણ ખુબ જ સરસ …….
    આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
    મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.

Leave a Reply to Shriya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.