એકબીજાના હતા
પ્રણયના મધુરા દિવસોની સ્મૃતિ કરાવતી આદિલ મન્સૂરીની રચના.
[સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવાઝ]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવનમાં એકબીજાના હતા.
મંદીરો ને મસ્જીદોમાં જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યાં સફરમાં એના મયખાના હતા.
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.
કેટલું સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા.
- આદિલ મન્સુરી
January 20th, 2009 at 12:37 pm
કેટલું સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા….
સરસ વાત કરી છે!
January 20th, 2009 at 7:22 pm
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.
વાહ્
January 21st, 2009 at 12:06 pm
ખુબ જ સુન્દર લખ્યુ……….આલાપ પણ ખુબ જ સરસ …….
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.