આપણા બેના મનમાં
પ્રેમની વાત અનોખી છે. પ્રેમ કોઈ ઉંમરનો, નાત-જાત કે કોઈ ધર્મનો મોહતાજ નથી હોતો. નથી એને મૌસમ સાથે કોઈ લેવા દેવા. કારણ પ્રેમ પોતે જ એક મૌસમ થઈને આવે છે. પ્રેમમાં પડેલાઓને એ ફિકર નથી હોતી કે લોકો શું કહેશે. પ્રેમની દિવાનગી અને ગહેરાઈ દર્શાવતી આ સુંદર ગઝલ આજે સાંભળીએ.
[સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: અભિષેક]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતા’તા,
કેવા નીચા લોક હતા જે ઊંચી વાતો કરતા’તા.
યાદ કરો ઓ ભુલી જનારા આપણો એ ભુતકાળ જરા,
આપણે બે ઈન્સાન હતા પણ શ્વાસ તો એક જ ભરતા’તા.
મોત આવ્યું તો યાદ આવી ગઈ ઘેલછા આપણા યૌવનની,
આપણે બંને મરી જવાનું નાટક કેવું કરતા’તા.
આપણે પણ મશહુર હતા એ હીર અને રાંઝા જેવા,
લોક તને રસ્તામાં જોઈ યાદ મને પણ કરતા’તા.
આપણે ક્યાં શીખ્યા’તા ઝાઝુ ગામની કોઈ શાળામાં,
તો પણ પ્રેમના સરવાળાઓ આંખ મીચીને કરતા’તા.
આપણે ક્યાં મોહતાજ હતા કોઈ એક રંગીલી મૌસમના,
આપણે તો હર મૌસમમાં ફૂલોની જેમ નીખરતા’તા.
- ?
January 18th, 2009 at 11:26 pm
આપણે ક્યાં શીખ્યા’તા ઝાઝુ ગામની કોઈ શાળામાં,
તો પણ પ્રેમના સરવાળાઓ આંખ મીચીને કરતા’તા.
આપણે ક્યાં મોહતાજ હતા કોઈ એક રંગીલી મૌસમના,
આપણે તો હર મૌસમમાં ફૂલોની જેમ નીખરતા’તા.
સુંદર્