મારી કોઈ ડાળખીમાં

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

[ આ ગીત મારા પ્રિય ગીતોમાંનું એક છે. એક નિર્મોહીની ખુમારી અને ટટ્ટારીને આ રચના આબેહુબ રીતે વ્યક્ત કરે છે. જે ડાળખીને પાંદડા જ ન હોય એને પાનખરની શી બીક ? વળી રચનાને અંતે મુકાયેલ 'બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવ' ... અત્યંત મનનીય છે. પુરુષોત્તમભાઈ, જેમણે ગુજરાતી સંગીતને દેશવિદેશમાં ગુંજતું કર્યું, તેમના કંઠથી આ ગીત અમર બન્યું છે, આપણને વારંવાર વાગોળવાનું મન થાય એવું છે. ]

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા/શહીદ થવા (?) ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

- અનિલ જોષી

3 Responses to “મારી કોઈ ડાળખીમાં”

  1. C.Mistry Says:

    બહુ જ સરસ ગીત છે. મને ગીતોના બોલ ઈ-મેઈલ ક્રરશો?

  2. amrit Says:

    મનહર ઉધાસની ગઝલ “મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે” મહેરબાની કરી આ ગઝલ સંભળાવવાની કૃપા કરશો.

  3. C.Mistry Says:

    Kindly see response 2 and do the needful.
    [મહેફિલની ત્યારે ગઝલ સાઈટ પર મુકાઈ ગઈ છે. - admin ]

Leave a Reply