શું કરશે ?

[ આ ગઝલ ઘણા વખત પહેલાં ડાયરીમાં ટપકાવેલી ... આપણે બધા જ કોઈ ને કોઈ વસ્તુની શોધમાં છીએ ... પણ એવો વિચાર નથી કરતા કે જે શોધીએ છીએ, જેની પાછળ આટલું દોડીએ છીએ, જેને માટે જાતને ઘસી નાખીએ છીએ, એ મળી જાય પછી શું ? રઈશ મનિયારની આ કૃતિમાં એ બખૂબીથી વ્યક્ત થયું છે. ]

ચાહ્યું સઘળું તે મળી જાય, પછી શું કરશે ?
તું જે શોધે છે, જડી જાય પછી શું કરશે ?

આંખ ચોળીને જગત જોવાની આદત છે,
કોઈ આંખોમાં વસી જાય, પછી શું કરશે ?

અબઘડી તો તું ગઝલ કહીને ગુજારે છે સમય,
દુઃખની આ રાત વીતી જાય પછી શુ કરશે ?

શબ્દ હાથોમાં ગ્રહ્યા, ત્યાં તો થયા હાથ મશાલ,
શબ્દ જ્યારે લોહીમાં ભળી જાય, પછી શું કરશે ?

કામનાનું પશુ હણવા તું ભલે નીકળ્યો છે,
થઈને એ ઘાયલ બચી જાય, પછી શું કરશે ?

આંસુઓ શબ્દમાં પલટાતા રહે પણ ક્યાં સુધી ?
લોકો મહેફિલમાંથી ઊઠી જાય, પછી શું કરશે ?

- રઈશ મનિયાર

2 Responses to “શું કરશે ?”

  1. Ashwin A Kaka Says:

    Comment to mokli didhi pan comment mali jay pachhi shu karshe ?
    Very Nice.

  2. Ganga Thapa Says:

    આટલું બધું પૂછી લઈશ પછી શું કરશે?

Leave a Reply