ભૂલી ગયા મને


પ્રેમનો અનુભવ કદી એકસરખો હોતો નથી. કોઈકને એમાં પળ મળે, કોઈને એમાં છળ મળે તો કોઈને ઝળહળ મળે. અહીં એવા અનોખા પ્રેમની કહાની છે જેમાં પ્રેમની પ્રગાઢતામાં અપાયેલ વચનો મૃગજળ સમા નીવડ્યા છે. આંખોમાં આંખ પરોવીને એકબીજાને એમ કહેનાર કે હું કદી નહીં ભૂલું, તું જ ભૂલી જઈશ … એવું કહેનાર જ ભૂલી જાય. માણો કૈલાશ પંડીતની આ સુંદર રચનાને મનહર ઉધાસ અને અનુરાધા પૌંડ્રવાલના સ્વરમાં. [આલ્બમ: આભૂષણ]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.

ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને

થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને

- કૈલાશ પંડીત

4 Responses to “ભૂલી ગયા મને”

  1. Mansi Shah Says:

    Thanks for visiting our blog. Keep visiting & inspiring us.

  2. pragnaju Says:

    ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
    તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને

    થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
    સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને
    સુંદર.
    મધુર ગાયકી.

  3. Usha Says:

    Manhar Udhas and Anuradha Paudwal make a nice pair for such type of songs. Request you to put more of Manhar’s gazals. Please try to put Amrut Ghayal’s gazals. They are so meaningful and piercing!!!!
    Thanks for such a beautiful site, that gives us so much pleasure!!!

  4. Sneha Says:

    ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
    એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

    “ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
    મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને. “………

    સમય કયારે શુ કહેશે, બતાવશે એ તો સમય જ જાણે પણ એટલુ જ કહીશ દિલ થી પ્રેમ કરેલ ને કયારેય નથી ભુલાતા અને એની જગ્યા કોઇ લઇ શકતુ નથી….. કારણ એની જગ્યા તો કંઇક ખાસ જ હોય છે એ બધા ના જાણે પણ એ જાણે તો કઇ અલગ જ વાત હોત ……….

Leave a Reply